શ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી

શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સાંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના,  જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના "વૈશ્વિક સ્તરે ભારત "ના સ્વપ્ન પરત્વે "સૌનો સાથ સૌનો વિકાસ " વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેકસમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે. આગળ વાંચો

રેસન્ટ કાર્યક્રમો

રેસન્ટ વિડિઓઝ

દિન વિશેષ

વર્તમાન વિકાસ કામો

 

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ ગુજરાત ની વિકાસયાત્રા ને એ જ ગતિ એ આગળ ધપાવવા પક્ષ દ્વારા તેમને સોંપવામાં આવેલ નાયબ મુખ્યમંત્રી તરીકે ની જવાબદારી સ્વીકારી સરકાર ની કામગીરી માં મહત્વ નું યોગદાન પૂરું પાડી રહ્યા છે.
રાજ્યના વિકાસ અને નાગરીકો ને સુવિધા માટે નિર્ણાયક અને અગત્યના એવા નાણાં વિભાગ ની જવાબદારી સાંભળી રાજ્ય ના સફળ નાણાકીય આયોજન માટે શ્રી નીતિનભાઈ પટેલ સતત કાર્યરત છે. http://financedepartment.gujarat.gov.in
નાગરીકો ના વિકાસ અને સવલત માટે જાહેર રસ્તા ઓ અને જાહેર સંસ્થાનો એ પ્રાથમિક જરૂરિયાત છે. રાજ્ય સરકાર ના વિકાસ માં ચાવીરૂપ ભૂમિકા ભજવતા માર્ગ અને મકાન વિભાગ ની જવાબદારી સંભાળી રાજ્ય ના વિકાસ ને ખુબ જ વેગ આપ્યો છે. http://rnbgujarat.org/
પાટનગર યોજના અંતર્ગત રાજ્ય ના પાટનગર “ગાંધીનગર” ને આંતરરાષ્ટ્રીય કક્ષા ની ટેકનોલોજી નો ઉપયોગ કરી પાટનગર ના નાગરીકો ને સુવિધા અને સેવાઓ પૂરી પાડવા અગત્ય ના નિર્ણયો લઇ રહ્યા છે.
સભ્ય સંસ્કૃતિ ના વિકાસ અને અસ્તિત્વ માટે પાણી પ્રાથમિક જરૂરિયાત છે. નર્મદા યોજના ની જવાબદારી સંભાળી ઝડપી અને નિર્ણાયક અમલીકરણ શ્રી નીતિનભાઈ પટેલ એ કરાવી રાજ્ય ના છેવાડા ના વિસ્તાર ના નાગરીકોને અને ખેતી ને પાણી પૂરું પાડવા સતત કાર્યરત છે. http://guj-nwrws.gujarat.gov.in/narmdiv/default.htm
નદી ના ઉપર ના સ્તર નું એવરેજ ૨૫% પાણી ખંભાત ના અખાત માં જતું રોકવા અને તે પાણી નો ઉપયોગ રાજ્ય ના નાગરીકો કરી શકે તે માટે શ્રી નીતિનભાઈ પટેલ સતત કાર્યરત છે. http://www.kalpasar.gujarat.gov.in/mainpage.htm